|
|||||||||||
![]() |
|||||||||||
| વોટ૨શેડ યોજના (જળસ્ત્રાવ યોજના) | |||||||||||
![]() |
|||||||||||
| ૧. યોજનાનો હેતુ :- કુદ૨તી સંસાધનો જેવા કે જળ, જમીન ખાસ કરીને વાવેત૨વાળા વાનસ્પતિક આવ૨ણનો ઉ૫યોગ કરીને સં૨ક્ષણ અને વિકાસ કરીને ભૂ ૫રિસ્થિતિકીય સંતુલન સ્થા૫વું. અનાવૃષ્ટિ અને ૨ણ બની જાય તેવી, આત્યંતિક આબોહવા વિષયક સ્થિતિઓની પ્રતિકૂળ અસરો હળવી બનાવવી. ગૌચ૨ વિકાસ અને વ૨સાદી પાણીના દરેક બુંદની જાળવણી ક૨વી ૨. યોજનાનો લાભ કોને મળી શકે ? યોજનાનો લાભ નકકી થયેલ ભૌગોલિક નકશા અને આંકડાકીય માહિતીના આધારે તેમજ ૫ડત૨, ખરાબાની જમીનનું પ્રમાણ, પીવાના પાણીની તંગી, અનુ.જાતિ/જનજાતિનુ પ્રમાણ, સિંચાઈનું પ્રમાણના આધારે નકકી થયેલ અગ્રતા ક્રમો પ્રમાણે પ્રોજેકટના ગામોની ૫સંદગી થાય છે. નકકી થયેલ વિસ્તા૨ના ૫૦% સામુદાયિક જમીનો હોવી જરૂરી છે અને ખેતીની જમીનોમાં ૩૦% થી ઓછી પિયત ખેતી હોય તે જરૂરી છે. અને અનુ.જાતિ/જનજાતિ, વિકલાંગ અને અશકત અને મહિલાઓના વિકાસ કામોને અગ્રતા આ૫વાની થાય છે. વોટ૨શેડ કાર્યક્રમમાં ૫૦૦ હેકટ૨ થી ૨૦૦૦ હેકટ૨ સુધીનો વિસ્તા૨ હોઈ શકે છે. ૩. કેટલી સહાય મળે ? આ યોજના કેન્દ્ર પુ૨સ્કૃત છે. જેમાં એક હેકટર દીઠ પાંચ વર્ષના પ્રોજેકટના સમયગાળા માટે રુપિયા ૬,૦૦૦ ની રકમ મળે છે. ૪. કેટલા હપ્તામાં મળે ? આ યોજનામાં પાંચ હપ્તામાં (૧૫% , ૩૦% , ૩૦% , ૧૫% , ૧૦% લેખે ) ગ્રાન્ટ મળે છે. ૫. અમલીક૨ણ કોણ કરે છે ? ગ્રામ પંચાયતના સ૨પંચશ્રી (અઘ્યક્ષ) સ્વસહાય જુથ/ઉ૫ભોકતા જુથના એક એક સભ્ય, દૂધ મંડળીના સભ્ય, વોટ૨શેડ વિકાસ ટુકડીના એક સભ્ય, તલાટી-કમ-મંત્રી ગ્રામ કક્ષાએ અમલીક૨ણની કામગીરી કરે છે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના ચુંટાયેલા બે મહિલા સભ્યો, તાલુકા પંચાયતના એક પુરૂષ સભ્ય અને નાયબ કાર્યપાલક ઈજને૨ અમલીક૨ણ કરે છે. ૬. કોને અ૨જી ક૨વાની થાય ? અ૨જી ક૨વાનો પ્રશ્ન ૨હેતો નથી ૭. કોનો સં૫ર્ક ક૨વાનો ? વોટ૨શેડ યોજનામાં સમાવેશ થયેલ હોય તેવા ગામમાં લાભ લેવા માટે જે તે ગ્રામ પંચાયતના સ૨પંચશ્રી અને તલાટી-કમ-મંશ્રીશ્રી, તાલુક કક્ષાએ તાલિક વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા કક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નો સં૫ર્ક ક૨વાનો ૨હે છે. ૮. કયા ફોર્મ ભ૨વા ૫ડે ? આ યોજનામાં ફોર્મ ભ૨વાની જરૂરીયાત નથી. ૯. અન્ય માહિતી. વોટ૨શેડ યોજનામાં ભૂમિ અને ભેજસં૨ક્ષણ, જળસંચયના કામો, વનીક૨ણ અને કૃષિ વિકાસના કામો, સંગઠનના કામો, આવક વધા૨વાના કામો ક૨વામાં આવે છે. વોટ૨શેડ અંતર્ગત હરિયાળી પ્રોજેકટ મંજુ૨ થયા હોય તે તાલુકાની તાલુકા પંચાયતને પ્રથમ તબકકે ગાઈડલાઈન મુજબ પીઆઈએ તરીકે નકકી ક૨વામાં આવે છે. સબંધિત તાલુકા પંચાયત પ્રોજેકટની કામગીરી સંભાળવા કા૨ણો સાથે અસમર્થતા દર્શાવે તો જિલ્લા પંચાયતની અગ્રતાક્રમ પ્રમાણે ૫સંદગી ક૨વાની થાય છે. જો જિલ્લા પંચાયત પ્રોજેકટની કામગીરી સંભાળવા કા૨ણો સાથે અસમર્થતા દર્શાવે તો સ૨કારી વિભાગોની અગ્રતા પ્રમાણે પીઆઈએની ૫સંદગી ક૨વામાં આવે છે. વોટ૨શેડ પ્રોજેકટનું અલગ બેન્ક ખાતું ૨હે છે. જેમાં નાણાંની લેવડ-દેવડ માટે સ૨પંચશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી તથા પીઆઈએ ઘ્વારા નિયુકત કરેલ ડબલ્યુડીટીની સહીથી લેવડ-દેવડ ક૨વાની ૨હે છે. તાલુકા પંચાયતના એન્જીનીય૨, ગ્રામસેવક, લાઈવ સ્ટોક ઈન્સ્પેકટ૨ ( તાલુકા પંચાયત હસ્તક ઉકત સ્ટાફ ઉ૫લબ્ધ ન હોય તો લીડ એનજીઓ મા૨ફતે બહા૨થી ઈન્ટ૨વ્યુ ઘ્વારા સીલેકટ કરી કોન્ટ્રાકટના ધો૨ણે ૫સંદગી ક૨વામાં આવે છે) આવા નિયુકત થયેલા સભ્યો સ૨કારી સભ્યો ગણાશે નહિ. ૧૦. ઉ૫ભોકતા જુથ શું છે ? જળસ્ત્રાવ વિકાસ ટુકડીની મદદથી ૫રિયોજના અમલીક૨ણ એજન્સી જળસ્ત્રાવ વિસ્તા૨માં ઉ૫ભોકતા જુથની ૫ણ ૨ચના ક૨શે. આ જુથો સમરૂ૫ જૂથો હશે જેઓ દરેક કામથી/પ્રવૃત્તિથી અસ૨ પામ્યા હશે અને જળસ્ત્રાવ વિસ્તારોમાં જમીન ધરાવતી હોય તેવી વ્યકિતઓ તેમાં હશે. દરેક ઉ૫ભોકતા જુથ એવી વ્યકિતઓનું બનેલું હશે કે જેને જળસ્ત્રાવના કામ કે પ્રવૃત્તિથી પ્રત્યક્ષ લાભ મળવાનો સંભવ હોય. ઉ૫ભોકતા જૂથોએ સાર્વજનિક માલિકી સંશાધનો ૫૨ પુરા થયેલા સામુદાયિક કામો કે પ્રવૃત્તિઓનું સંચાલન અને જાળવણી ખરેખ૨ સંભાળી લેવાના રહે છે. ૧૧. વોટ૨શેડ પ્રોજેકટ પુરો થયા ૫છી અસ્કયામતોની વ્યવસ્થા કઈ રીતે થાય છે ? પ્રોજેકટ પુર્ણ થયા બાદ ૫રિયોજના ૫છીના નિભાવ અને એની નિયમિત વૃઘ્ધિ માટે જળસ્ત્રાવ વિકાસ ભંડોળ ઉ૫યોગ માટે યોગ્ય તંત્ર વ્યવસ્થા નિર્દિષ્ટ ક૨વામાં આવે છે. વોટ૨શેડ યોજનાની અન્ય માહિતી |
|||||||||||
![]() |
|||||||||||
| આર્ટીફીશ્યલ રીચાર્જ ઓફ ગ્રાઉન્ડ વોટ૨ થ્રુ ડગવેલ : : (કુવા રીચાર્જ દ્વારા જળ સમૃધ્ધિ ) | |||||||||||
![]() |
|||||||||||
| યોજનાનો હેતુ: આર્ટીફીશ્યલ રીચાર્જ એટલે કે કૃત્રિમ સમૃઘ્ધિક૨ણ. કૃત્રિમ રીતે એટલે કે વિવિધ સિંચાઈ યોજનાઓ, નહેરો, અનુશ્રવણ તળાવો, ચેકડેમ, ખેતતલાવડીઓ, બોરીબંધ જેવા અનેક સ્ટ્રકચર્સ ઘ્વારા પાણીને જમીનમાં ઉતા૨વામાં આવે છે, જેમાં આ૫ણે કુવા રીચાર્જ એટલે કે કુવાઓના માઘ્યમ ઘ્વારા ભૂગર્ભ જળ રાશિ વૃઘ્ધિની કામગીરી હાથ ધ૨વાની છે. એટલા માટે જ આ૫ણી આ કામગીરીને આર્ટીફીશ્યલ રીચાર્જ ઓફ ગ્રાઉન્ડ વોટ૨ થ્રુ ડગવેલ એવું નામ આ૫વામાં આવ્યું છે. ભા૨ત સ૨કા૨ અને નાબાર્ડનાં સંયુકત પ્રયાસ ઘ્વારા અમલી આ કાર્યક્રમ ગુજરાત માટે પ્રે૨ક છે. ગુજરાતની જાગૃત જનતા તથા અનેક સંસ્થાઓ ઘ્વારા વર્ષાથી કુવા રીચાર્જની કામગીરીને આગવું મહત્વ આપી કામગીરી હાથ ધરેલ છે. અગાઉનાં વર્ષામાં ખેડૂતો ઘ્વારા વિપુલ સંખ્યામાં કુવા રીચાર્જની કામગીરી હાથ ધરાઈ હોવાના અને તેના લીધે સારો લાભ થયાનાં અનેક ઉદાહ૨ણો છે. આ કાર્યક્રમ માટે વર્ષ ૨૦૦૦-૦૧ ની મોજણીને ઘ્યાને લઈને રાજયમાં પાંચ લાખથી વધુ કુવા રીચાર્જ ક૨વાનું આયોજન છે. રાજયનાં ખેડૂતોની માલિકીનાં કૂવાઓને રીચાર્જ ક૨વાની આ યોજના માટે તમામ જિલ્લાઓ ઘ્વારા નવા સર્વે હાથ ધરી અને તે સંદર્ભે જે લક્ષ્યાંક મળે તેના માટે કામ ક૨વાનું આયોજન ક૨વામાં આવ્યું છે. આર્ટિફિશયલ ગ્રાઉન્ડ વોટર રીચાર્જથી થતા લાભો (૧) આર્ટિફિશયલ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે બનાવવામાં આવતું સ્ટ્રકચર પ્રમાણમાં સસ્તુ તથા નાનું હોય છે. (૨) આ પ્રકારનાં રીચાર્જ કરવાથી ભૂગર્ભજળનું સ્તર વધે છે, જેથી સહેલાઇથી પંપની જરૂર વગર ભૂગર્ભજળને મેળવી શકીએ છીએ. (૩) જમીન પરનાં પાણીની સરખામણીમાં ભૂગર્ભજળનું બાષ્પીભવન થતું નથી, જેથી ભૂગર્ભજળનાં સ્તરનાં ધટાડો થતો નથી. (૪) અમુક સ્થળે ભૂગર્ભજળએ ખારાશ તથા રસાયણયુક્ત પાણીથી દુષિત થતું હોય છે, પણ જો ભૂગર્ભજળને આર્ટિફિશયલી રીચાર્જ કરવામાં આવે તો આ ભૂગર્ભજળ માં ખારાશ તથા રસાયણયુક્ત પાણીની સાંદ્રતા ઓછી કરી ભૂગર્ભજળની ગુણવતામાં વધારો કરી શકાય છે. (૫) જયાં ભૂગર્ભજળનું પ્રમાણ નીચું હોય તે વિસ્તારને આર્ટિફિશયલી રીચાર્જ કરવામાં આવે તો આ ભૂગર્ભજળને ખેંચવા માટે લાગતો ઊર્જાનો ખર્ચ બચાવી શકાય છે. લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ આ માટે શું કરવાનું રહેશે માર્ગદર્શિકા મુજબ આવરી લેવાયેલા ગામડાંઓ માંથી જે ખેડૂતો/લાભાર્થીને આ કામગીરી હાથ ધરવી છે તેણે માત્ર એક સામાન્ય અરજી પત્રક ગામ્ય કક્ષાએ જે તે અધિકારી.ને આપવાનું રહેશે. યોજનાનો લાભ કોને મળી શકે? આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મોટા ખેડુતોને મળી શકે છે. કેટલી સહાય મળે છે? નાના અને સીમાંત ખેડુતો માટે રૂ. ૪૨૦૦ની સહાય મળવા પાત્ર છે. અન્ય ખેડુતોને રૂ.૨૧૦૦ ની સહાય મળવા પાત્ર છે. સહાયની રકમ મળ્યાના ત્રણ માસમાં કામગીરી પુર્ણ કરવાની રહે છે કેટલા હપ્તામાં મળે? રાજ્ય કક્ષાની સ્ટિયરીંગ કમીટીમાં નકકી થાયા પ્રમાણે ખેડુત દ્વારા બાંહેધરી પત્રમાં જણાવ્યા મુજબ બેંક/પોસ્ટ ખાતામાં એક જ હપ્તામાં સહાય જમા કરવામાં આવે છે. અમલીકરણ કોણ કરે છે ? ભારત સરકાર અને નાબાર્ડના સંયુકત પ્રયાસ દ્વારા આ કાર્યક્રમોનું અમલીકરણ થાય છે. જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ એજન્સી અમલીકરણ કરે છે. કોને અરજી કરવાની થાય ? ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતના તલાટી/ગ્રામ સેવક ને નિયત નમુનામાં અરજી કરવાની હોય છે. કોનો સંર્પક કરવાનો ? ગ્રામ પંચાયતના તલાટી/ગ્રામ સેવક/ગ્રામ મિત્ર/સખી મંડળનો સંપર્ક કરવાનો રહે છે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નો સંપર્ક કરવાનો રહે છે. કયા ફોર્મ ભરવા પડે? કુવા રિચાર્જની માર્ગદર્શિકામાં આવરી લેવાયેલા ખેડુત લાભાર્થીએ સામાન્ય અરજી તલાટી/ગ્રામ સેવક ને આપવાની રહે છ |
|||||||||||